ઘંટાકર્ણ મહાવીર
વ્હાલુ મહુડી એવું છે ગામ,કે જેછે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
………..વ્હાલુ મહુડી એવું છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ જ્યાં થાય
મુક્તિ જીવને મળી જાય,ને મળેલ જન્મસફળ પણથાય
કામધામનો નાઅણસાર,લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય,ને પળપળ પણ મહેંકીજાય
……….. વ્હાલુ મહુડી એવું છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે,ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે,ને પાવનજીવને રાહદીસે
ભાગે ભુત અને પલીત,જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનુંનામ
ઉજ્વળજીવન બને દેહનું,ના રહે કોઇ બંધન આઅવનીનું
………..વ્હાલુ મહુડી એવું છે ગામ
ઘંટાકર્ણવીરનું મથક : મહુડી
વ્હાલુ મહુડી એવું છે ગામ,કે જેછે મહાવીરનું ભક્તિધામ
લેવાય જ્યાં ઘંટકર્ણનું નામ,ત્યાં થાયજીવના સઘળાકામ
………..વ્હાલુ મહુડી એવું છે ગામ.
દેહની ઉજ્વળતા દેખાય,સ્મરણ સવાર સાંજ જ્યાં થાય
મુક્તિ જીવને મળી જાય,ને મળેલ જન્મસફળ પણથાય
કામધામનો નાઅણસાર,લેવાય જ્યાંમનથી તેમનુ નામ
નિર્મળ જીવન થતું જ જાય,ને પળપળ પણ મહેંકીજાય
……….. વ્હાલુ મહુડી એવું છે ગામ.
શ્રધ્ધાની જ્યાં જ્યોતજલે,ત્યાં સદા મહાવીરનો પ્રેમ મળે
યુગ કળીયુગનો અણસાર ત્યજે,ને પાવનજીવને રાહદીસે
ભાગે ભુત અને પલીત,જ્યાંહોય ધંટાકર્ણ મહાવીરનુંનામ
ઉજ્વળજીવન બને દેહનું,ના રહે કોઇ બંધન આઅવનીનું
………..વ્હાલુ મહુડી એવું છે ગામ
ઘંટાકર્ણવીરનું મથક : મહુડી
અમદાવાદથી 80 કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામ આવેલું છે. આ તીર્થક્ષેત્ર 2000 જેટલાં વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1974 અને વિક્રમ સંવત 1980માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારિક ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. તેવી લોકોની માન્યતા છે. અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે.
ઘંટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંમના એક વીર છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી.
જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટસ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાંને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેક કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી, તેવી લોકવાયકા છે.
મહુડીમાં જ જૂનું તીર્થ છે કાટ્યર્કજી. જે ખડાયતા વણિકોના કુળદેવ છે. શ્રી કોટ્યર્કજીનું જૂનું મંદિર નદીની ધાર પર હતું. જ્યાંથી દેવમૂર્તિને નવા બંધાયેલા વિશાળ મંદિરમાં ખસેડવામાં આવી છે. તે સાથે પુરાણા મંદિરના ગોખમાંની એક-બે સુંદર શિલ્પાકૃતિઓ પણ ત્યાં ખસેડાઈ તેમાં બાળકને ઊંચકીને ઊભેલી મા સાથે મસ્તી કરતા બાળકનું શિલ્પ મૂર્તિસૌંદર્યની ર્દષ્ટિએ બેનમૂન ગણાવ્યું છે.
ઘંટાકર્ણવીર
બાવન વીરોમાં ત્રીસમાં દેવ તરીકે તેમની ગણના થઈ. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ખડગ હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યન, બાણ, ખડગ આપવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓનો આત્મા હોવાથી તેમની ધનુષ્યતબાણવાળી મૂર્તિ સ્થાપિત કરી છે.
કોટ્યાર્ક
મહુડીથી 1.5 કિ.મી. દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટ્યાર્કના મંદિરમાં પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ ર્દષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રોવાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવાં દુર્લભ છે. શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે
ઘંટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંમના એક વીર છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી.
જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટસ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાંને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેક કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી, તેવી લોકવાયકા છે.
મહુડીમાં જ જૂનું તીર્થ છે કાટ્યર્કજી. જે ખડાયતા વણિકોના કુળદેવ છે. શ્રી કોટ્યર્કજીનું જૂનું મંદિર નદીની ધાર પર હતું. જ્યાંથી દેવમૂર્તિને નવા બંધાયેલા વિશાળ મંદિરમાં ખસેડવામાં આવી છે. તે સાથે પુરાણા મંદિરના ગોખમાંની એક-બે સુંદર શિલ્પાકૃતિઓ પણ ત્યાં ખસેડાઈ તેમાં બાળકને ઊંચકીને ઊભેલી મા સાથે મસ્તી કરતા બાળકનું શિલ્પ મૂર્તિસૌંદર્યની ર્દષ્ટિએ બેનમૂન ગણાવ્યું છે.
ઘંટાકર્ણવીર
બાવન વીરોમાં ત્રીસમાં દેવ તરીકે તેમની ગણના થઈ. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ખડગ હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યન, બાણ, ખડગ આપવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓનો આત્મા હોવાથી તેમની ધનુષ્યતબાણવાળી મૂર્તિ સ્થાપિત કરી છે.
કોટ્યાર્ક
મહુડીથી 1.5 કિ.મી. દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટ્યાર્કના મંદિરમાં પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ ર્દષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રોવાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવાં દુર્લભ છે. શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે
This is your new blog post. Click here and start typing, or drag in elements from the top bar.